સુરત સિવિલ હોસ્પિટલમાં યજ્ઞ થયો, આર્ય સમાજના સભ્યોનો દાવો જાણો શું છે આખી વાત
હાલમાં ગુજરાતનું સુરત શહેરએ કોરોના માટે એક મોટું સ્ટેન્ડ બની ગયું છે અને તેની વચ્ચે તેની આટલી ખરાબ પરિસ્થિતિમાં એમ્બ્યુલન્સના સાઇરેન્સથી જ નક્કી થઇ જાય છે કે અહીંયા કેટલી પરિસ્થિતિ ખરાબ છે.
અને તેવામાં જ દક્ષિણ ગુજરાતના કોરોનાની સૌથી મોટી હોસ્પિટલ નવી સિવિલ હોસ્પિટલમાં આર્ય સમાજના સભ્યોએ મંગળવારે સાંજે યજ્ઞ કર્યો હતો અને તેથી કોરોના વાયરસના નાબૂદ કરવાની માટે પ્રાર્થના કરાઈ હતી.
જેમાં આ આર્ય સમાજના આ સભ્યોએ એવું જણાવ્યું હતું કે,તેમને સિવિલ હોસ્પિટલના ઉચ્ચ વહીવટીતંત્રએ સિવિલના કેમ્પસમાં યજ્ઞ કરવાની માટે બોલાવવામાં આવ્યા હતા અને તેનાથી તેઓ આર્ય સમાજના પ્રમુખ ઉમાશંકર આર્યએ એવું જણાવ્યું હતું કે,
અમે દિવસ દરમિયાન રામનાથ ઘેલા અને કુરુક્ષેત્ર સ્મશાનગૃહમાં યજ્ઞ પણ કર્યા હતા અને જેથી તે બીજા સ્મશાનગૃહમાં યજ્ઞ પણ કરીશું જેમાં નવી સિવિલ હોસ્પિટલના ડીન દ્વારા હોસ્પિટલ નજીક સમાન યજ્ઞ કરવા બોલાવાયા હતા.
આ હોસ્પિટલમાં ૧૫૦૦ જેટલી પથારી છે અને તેમના ૧૩૦૦ બેડ તો ભરેલ જ છે.સરકારી મેડિકલ કોલેજના ડીન, મહેતાએ કીધું હતું કે,ઘણા સ્વયંસેવકો કોવિડ હોસ્પિટલોમાં તેમનાથી થતી તમામ પ્રકારની સેવાઓ આપવા આગળ આવ્યા છે. અને તેઓએ અમુક સૂચનો પણ આપ્યા હતા જેથી કરીને દર્દીઓને સારું લાગે તે માટે કેટલાક સંગીત અથવા ગાયનની પ્રવૃત્તિને મંજૂરીઓ પણ આપી હતી.
કોવિડ દર્દીઓની જોડે હોસ્પિટલમાં સંબંધીઓને મંજૂરી નથી અને તેની માટે હોસ્પિટલ બિલ્ડિંગની બહાર શેડ છે અને ઉમાશંકર આર્ય એવું જણાવે છે કે,અમે સુરત શહેરમાં આવા હવન અને યજ્ઞો કર્યા છે.હિન્દુ પરંપરા પ્રમાણે આ શ્રેષ્ઠ ઉપાય છે કેમ કે હાલ આ વાયરસની કોઈ દવા નથી.