જો કેરી સાથે આ ચાર વસ્તુઓ તમે ભૂલથી પણ ખાશો તો, નઈ જોયો હોય તેવો દિવસ જોવો પડશે…
હાલ ઉનાળાની સીઝન ચાલી રહી છે, જેમાં ઉનાળાની સીઝનનો રાજા ફળ એટલે કેરી જેનું સેવન લોકો રોજે રોજ કરતા હોય છે. પણ કેરી ખાવા પાછળ પણ કેટલીક બાબતોનું ધ્યાન રાખવાનું હોય છે. જો તમે કેરોની સાથે કે તેની આગળ પાછળ જો આટલી વસ્તુઓનું સેવન કરશો તો, ના જોયા હોય તેવા દિવસો પણ જોવા પડી શકે છે.
કેરી સાથે આ ચાર વસ્તુઓ ના ખાવી જોઈએ, જેમાં પહેલી વસ્તુ એ છે કરેલા, કારેલા અને કેરીનું એક સાથે સેવન કરવાથી શરીરમાં જઈને એસીડીટીનું પ્રમાણ વધારે છે. તેની સાથે સાથે આખા શરીરની અંદર જલન પણ થઇ શકે છે,
ઉલ્ટી અને છાતીમાં દુખાવો પણ થઇ શકે છે. બીજી વસ્તુ દહીં છે જેમાં કેરી અને દહીંને એક સાથે ખાવાથી તમારા શરીરમાં કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધી જાય છે તેવું આયુર્વેદમાં જણાવેલું છે. દહીં અને કેરી એક સાથે ખાવાથી શરીરમાં ગેસ ઉત્પ્ન્ન થાય છે. જેથી તમારા આંતરડાની અંદર ઇન્ફેક્શન પણ લાગી શકે છે.
ત્રીજી વસ્તુ કોલ્ડડ્રિંક્સ તેની સાથે કેરી બંને એક સાથે કોઈ દિવસ ના લેવા જોઈએ. કેમ કે, બંને વસ્તુઓમાં થોડીક માત્રામાં એસિડ રહેલું હોય છે જેનાથી ગંભીર રીતે પેટનો દુખાવો પણ થઇ શકે છે. ચોથી વસ્તુ એ છે કે, લીલું મરચું અને કેરી ખાવાથી ગેસ અને એસીડીટી તથા પેટમાં બળતળા થઇ શકે છે જેથી આ ચાર વસ્તુઓ સાથે કેરી અને તેનો રસ ના ખાવો જોઈએ.
નોંધ : અમારી વેબસાઈટ પર આપેલ નુસખા ટિપ્સ, આયુર્વેદ ટિપ્સ, અથવા તો નેચરલ પધ્ધતિઓ, ફિટનેસ ઉપાયો અથવા તો કસરત વગેરે બાબતો દરેક માણસ ના શરીરની પ્રકૃતિ અનુસાર કામ કરતા હોઈ છે. કોઈ એક માણસ ને થયેલ ફાયદો અથવા તો નુકસાન બધાને થાઈ એવું માનવું નહિ, તમારે સૌથી પહેલા તમારા ડૉક્ટરને મળીને અથવા તો તેમની સલાહ લઈને કોઈ પણ પ્રયોગ અપનાવવો, મોટા ભાગના દરેક પ્રયોગો નિર્દોષ હોઈ છે, પણ દરેકની પ્રકૃતિ અલગ હોય છે એટલા માટે તકલીફ પડી શકે છે. તેનું ખાસ ધ્યાન રાખવું.