જાણો સારંગપુર હનુમાન દાદાનો ઇતિહાસ

બધાં જ લોકો જાણે છે કે હનુમાન દાદાનો મહિમા અપરંપાર છે. આ કળિયુગમાં હનુમાન દાદા પોતાના ભક્તોની પુકાર સૌથી પહેલા સાંભરે છે. હનુમાન દાદા સ્ત્રીઓને સૌથી વધુ માન આપે છે. એ બધાને ખબર છે.

સારંગપૂરમાં કષ્ટભંજન હનુમાન દાદા એક સ્ત્રી પર ઉભા છે. આજે અમે તમને તેના રહસ્ય વિષે જણાવી શું. કે તે સ્ત્રી કોણ છે. જે તેમના ચરણોમાં બિરાજમાન છે. તે જાણીને તમને પણ ચોકી જશો.

તમને જણાવી દઈ એ કે તે બીજું કોઈ નહિ પણ કર્મફળ દાતા શનિદેવ છે. સારંગપૂરના હનુમાન દાદાને કષ્ટભંજન કહેવામાં આવે છે. આ પશ્ન બધાના મનમાં થતો હશે કે આખરે શનિદેવ સ્ત્રી સ્વરૂપે કેમ હનુમાન દાદાના ચરણોમાં બેઠા છે.

એક એવો સમય હતો કે શનિદેવનો પ્રકોપ ખુબજ વધી ગયો હતો. તેનાથી લોકો ખુબજ દુઃખ અને તકલીફમાં હતા. લોકોએ તેમના પ્રકોપથી બચવા માટે હનુમાન દાદાને પ્રાર્થના કરી અને પોતાના ભક્તોની પુકાર સંભારીને હનુમાન દાદાએ શનિદેવને સજા આપવાનું નક્કી કર્યું.

શનિદેવને આની જાણ થઇ તો તે હનુમાન દાદાથી બચવા માટે અનેક ઉપાયો વિચારવા લાગ્યા. શનિદેવ ને ખબર હતી એ હનુમાનજી બાલ બ્રહ્મચારી છે. તે સ્ત્રીઓ પણ કદી હાથ નથી ઉઠાવતા.

તે વાતનો ફાયદો ઉઠાવીને સ્ત્રીનું રૂપ ધારણ કરીને હનુમાન દાદાના ચરણોમાં આવી ને ક્ષમા માંગવા લાગ્યા. સ્ત્રીનું રૂપ ધારણ કર્યું હોવાથી હનુમાન દાદાએ શનિદેવને કોઈ સજા કરી નહિ. હનુમાન દાદાએ પોતના ભક્તોના કષ્ટો દૂર કર્યા હોવાથી આ મંદિરમાં બિરાજમાન હનુમાન દાદાને કષ્ટભંજન કહેવામાં આવે છે. હનુમાન દાદા અહીં આવતા ભક્તોના બધા દુઃખો દૂર કરે છે.

error: Content is protected !!