આ વરરાજા લગ્ન કરીને તેની દુલ્હનને લઇને જતો હતો રસ્તામાં પોલીસ મળી ગઈ, પોલીસે જે કર્યું તે જોવા લાયક હતું..
હાલ સમગ્ર દેશમાં કોરોનાની મહામારી ચાલી રહી છે તેની વચ્ચે કેટલાય લોકોં કોરોનાની મહામારીમાં સપડાઈ ગયા છે. હાલમાં બધી હોસ્પિટલો ઉભરાઈ ગઈ છે. આ માહોલની વચ્ચે કેટલાય દર્દીઓના તો વળી મૃત્યુ પણ થઇ ગયા છે.
તેવામાં સરકારે કેટલીક મહત્વની અને અગત્યની ગાઇડલાઇન જારી કરી છે જેમાં લગ્ન પ્રસંગમાં ૫૦ અને મરણમાં ૨૦ જણાને લઇ જવાશે. તેની વચ્ચે હાલમાં એક વિડિઓ સોશિયલ મીડિયાની ઉપર વાયરલ થઇ રહ્યો છે
કે જેમાં એક વરરાજા તેની દુલ્હનને લઈને જઈ રહ્યો હતો. આ વરરાજા તેની દુલ્હનને બાઈક ઉપર લઈને જઈ રહ્યો હતો તેવામાં તેને રસ્તામાં પોલીસ મળી હતી, અને તેમને રોક્યા પણ હતા. આ વરરાજા એવું સમજ્યો હતો કે કોઈ દંડ માગશે પણ એવું ના થયું.
આ પોલીસે તે વરરાજા અને દુલ્હનને હાર પહેરાવીને શકુન આપ્યા હતા. આપણે વિચારીએ છીએ કે પોલીસ વાળા આમ જનતાને લૂંટે છે તો તે સાવ ખોટું છે. પોલીસએ જાહેર જનતાના હિતમાં જ કામ કરે છે અને આપણી મદદ માટે હંમેશા અને ૨૪ કલાક તૈનાત પણ રહે છે. હાલની આ કપળી પરિસ્થિતિમાં પોલીસ ૨૪ કલાક કામ કરી રહી છે લોકોની મદદ કરવા માટે.